જુનુ અને જાણીતુ ત્રિભોવન વિરજી જવેલર્સ, તળાજા

About Us
- Home
- Page
શરૂઆતથી જ અમારું ધ્યેય શુદ્ધ, ઉત્તમ અને ગુણવત્તાયુક્ત ઘરેણાં આપવાનું રહ્યું છે કારણ કે ગ્રાહકો જ ભગવાન છે.
ઘરેણાં અને ઘરેણાંની ક્વોલિટી એવી હોવી જોઇએ કે લોકો આંખો મીંચીને પણ લઈ શકે, અને અમને ગર્વ છે કે અમે એવા જવેલર્સ બની શક્યા છીએ કે લોકો અમારા પર આંખો મીંચીને ભરોસો કરે છે.
વર્ષ 1920 ના દાયકા માં શોભાવડ ગામ માં આવી ને એક નાની સોના એ ચાંદી ની દુકાન ની શરૂઆત કરી.
સદેવ ગ્રાહક ને ભગવાન માનનારા ત્રિભોવનદાસ વિરજીભાઈ ભીંડી સમય સાથે શોભાવડ ગામ ના “સોની દાદા ” તરીકે ઓળખાવા લાગ્યા.
વર્ષ 1920 થી 1980 સુધી ની એમની અગાથ મહેનત થી શોભાવડ ગામ થી તળાજા શહેર માં દુકાન નો પાયો નાખવા માં આવ્યો.
અને આજે સોની દાદા ના ગામ થી લઈ તળાજા, પાલિતાણા અને સુરત સુધી “મે.ત્રિભોવન વીરજી જવેલર્સ ” નો રણકાર થાય રહ્યો છે.
જેમના જીવન નું એક જ સૂત્ર હતું,
“ગ્રાહક એ આપણા ભગવાન છે,
અને અમે આપના સદૈવ ઋણી રહેશું”
– સ્વ. ત્રિભોવનદાસ વિરજીભાઈ ભીંડી, ફાઉન્ડર
ત્રિભોવન વિરજી જવેલર્સના આધારસ્તંભો
દાયકાઓ અને ૩ પેઢીઓ થી ચાલતી અમારી આ જવેલર્સ શોપ અને દાગીનાના લોકો હમેશા વખાણ કરતા આવ્યા છે, બસ એજ અમારા માટે પુરતુ છે.
સ્વ. ત્રિભોવનદાસ વિરજીભાઈ ભીંડી
(ફાઉન્ડર)
વર્ષ 1920 ના દાયકા માં શોભાવડ ગામ માં આવી ને એક નાની સોના એ ચાંદી ની દુકાન ની શરૂઆત કરી. સદેવ ગ્રાહક ને ભગવાન માનનારા ત્રિભોવનદાસ ગામ ના "સોની દાદા " તરીકે ઓળખાવા લાગ્યા. વર્ષ 1920 થી 1980 સુધી ની એમની અગાથ મહેનત થી શોભાવડ ગામ થી તળાજા શહેર માં દુકાન નો પાયો નાખવા માં આવ્યો. અને આવી અથાક મહેનત બાદ "મે.ત્રિભોવન વીરજી જવેલર્સ" ની પ્રસિદ્ધિ થઈ.
હસમુખરાય ત્રિભોવનદાસ ભીંડી
(પ્રોપરાઇટ)
વર્ષ 1980 થી શોભાવડ ગામ ની દુકાન સંભાળી, બદલાતા સમય સાથે પોતાની મહેનત થી વર્ષ 1992 સુધી શોભાવડ ગામ માં દુકાન સંભાળી ત્યાર બાદ વર્ષ 1993 થી તળાજા શહેર માં દુકાન ની શરૂઆત કરવામાં આવી. ત્યાર બાદ વર્ષ 2013 સુધી પોતાની સૂઝ થી તળાજા ની બજાર માં જવેલરી ક્ષેત્રે નામ બનાવેલ.
આકાશ ભીંડી
(માલીક)
અભ્યાસ - ગ્રેજ્યુએટ (ઇંગ્લિશ મિડીયમ)
જેમણે વર્ષ 2013 થી મે. ત્રિભોવન વીરજી જવેલર્સ માં જોડાય ને પોતાની આગવી શૈલી અને સૂઝ સાથે આજ એક નવી ઊંચાઈ સુધી પહોંચાડેલ છે.
આગામી લક્ષ્ય -
આવનાર સમયમાં દરેક ગ્રાહક ના દિલ માં માત્ર અને માત્ર એક જ નામ હોય;
"પ્રસંગ કોઈ પણ હોય,
ઘરેણાં ની ખરીદી તો ત્રિભોવન વીરજી જવેલર્સ માંથી જ"
